સ્નેહગીતા - કડવું ૧૬<br />

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઉભી રહી એક પગેજી ।
નયણે ન મળે પળેપળે જળ વહે દોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।।
ઢાળ –દૂર લગી તો રથ દીઠો, પછી ૩ખેહ તેહ રહી જોઇ ।
જ્યારે નયણે ૪ગરદ ન દીઠી, ત્યારે પડી પૃથવીએ રોઇ ।।૨।।
જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઉપજે ।
એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજ્યું કે તજે ।।૩।।
શુદ્ધ ન રહી શરીરની, મૂર્છા ખાઇ પડી માનિની ।
ઉઠી ન શકે અવનિ થકી, વળી ભૂલી દશા દેહભાનની ।।૪।।
હંસ ગયો હરિની સાથે, રહ્યું દેહ તેહ પડી પૃથવી ।
જેમ દોરી તુટી દારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।।
એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં ।
વણ દરદે દરદ વ્યાપ્યું, લાલશું ૧લેહ લગાવતાં ।।૬।।
એટલા પછિ અંગ સંભાળી, અને ઉઠી સર્વે અબળા ।
માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ।।૭।।
અહો આ શું થયું બાઇ, હવે ભૂધરને કૈયે ભાળશું ।
સદનમાંહી સખી આપણે, શું જોઇને મન વાળશું ।।૮।।
ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।
પછી પગલાં જોઇને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ।।૯।।
રજ લઇ લઇ મસ્તક મુકે, વળી વળી કરે બહુ વંદના ।
વે'લા વળજો વા'લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।। કડવું ।।૧૬।।