प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेवोदयाद्रवेः । विधाय कृष्णस्मरणं कार्यं शौचविधिस्ततः ॥४९॥
उपविश्यैव चैकत्र कर्तव्यं दन्तधावनम् । स्त्रात्वा शुच्यम्बुना धौते परिधार्येच वाससी ॥५०॥
उपविश्य ततः शुद्ध आसने शुचिभूतले । असङ्कीर्णं उपस्पृश्यं प्राङमुखं वोत्तरामुखम् ॥५१॥
कर्तव्यमूध्र्वपुण्डु च पुम्भिरेव सचन्द्रकम् । कार्यः सधवनारीभिर्भाले कुङ्कुमचन्द्रकः ॥५२॥
पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया । मनसा पूजनं कार्यं ततः कृष्णस्य चाखिलैः ॥५३॥
प्रणम्य राधाकृष्णस्य लेख्यारर्चां तत आदरात् । शक्त्या जपित्वा तन्मन्त्रं कर्तव्यं व्यावहारिकम् ॥५४॥
અને મારા આશ્રિતો હોય તેમણે, પ્રતિદિન સૂર્યોદય પહેલાં જ જાગવું, અને જાગ્યા પછી ભગવાનનું સ્મરણ કરવું; અને ત્યાર પછી શૌચવિધિ કરવા જવું ।। અને પછી એક સ્થાનકને વિષે બેસીને દાતણ કરવું; અને પછી પવિત્ર જળ વડે સ્નાન કરવું; અને સ્નાન કર્યાબાદ ધોએલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું ।। અને ત્યારબાદ પવિત્ર પૃથ્વી ઉપર પાથરેલું, શુદ્ધ અને કોઇ બીજી વસ્તુના સ્પર્શથી રહિત, એવા આસન ઉપર પૂર્વમુખે તથા ઉત્તરમુખે બેસીને આચમન કરવું ।। અને પછી મારા આશ્રિત એવા માત્ર પુષોએ ચાંદલાએ સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું, અને સુવાસિની જે સ્ત્રીઓ હોય, તેમણે તો પોતાના ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. ।। અને મારી આશ્રિત વિધવા સ્ત્રીઓ હોય, તેમણે પોતાના ભાલમાં તિલક ન કરવું અને ચાંદલો પણ ન કરવો. અને ત્યારબાદ બાઇ ભાઇ સર્વે સત્સંગીએ મનથી કલ્પેલા ચંદનાદિક ઉપચારોથી ભગવાનની માનસી પૂજા કરવી. ।। અને ત્યાર પછી રાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરી, નમસ્કાર કરીને, પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર, તેનો જપ કરવો; અને ત્યારપછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ।।૪૯ - ૫૪।।
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ છ શ્લોકની અનુક્રમે વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભક્તોએ પ્રાતઃકાળમાં પ્રતિદિન સૂર્યોદય થયાથી પહેલાં જાગવું. સૂર્યોદય એટલે સૂર્ય દેખાય એ નહિ, પરંતુ સૂર્યોદય એટલે બ્રાહ્મમુહૂર્તમાં જાગી જવું જોઇએ. રાત્રીનું જે છેલ્લું મુહૂર્ત તેને બ્રાહ્મમુહૂર્ત કહેવાય છે. અને રાત્રીની છેલ્લી બે ઘડીનો જે સમય તેને સૂર્યોદય કહેવાય છે. અર્થાત્ પાંચ અને બાર મિનિટ પછીનો જે સમય, તેને સૂર્યોદય કહેવાય છે. માટે સૂર્યોદય થયાથી પહેલાં જાગી જવું જોઇએ. અને સાડા ચાર વાગ્યાથી બ્રાહ્મમુહૂર્તની શઆત થાય છે, તેથી સૂર્યોદય પહેલાંનો જે સમય છે, તેને જ બ્રાહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. આ બ્રાહ્મમુહૂર્ત મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે પરમ શ્રેષ્ઠ છે. આ બ્રાહ્મમુહૂર્તમાં મન અને બુદ્ધિની નિર્મળતા હોય છે. અને વાયુની એક બુંદ શારીરિક સ્વાસ્થ્ય માટે ઔષધની સમાન હોય છે. માટે બ્રાહ્મમુહૂર્તમાં જે મનુષ્ય નિદ્રાનો ત્યાગ કરીને બ્રાહ્મમુહૂર્તના વાયુનું સેવન કરે છે, તે મનુષ્યનું મન પ્રફુલ્લિત રહે છે. અને આત્માની અંદર નવીન ચેતનાનો અનુભવ થાય છે. એ જ કારણથી મનુષ્યને દૈનિક જીવનમાં નિદ્રાના ત્યાગ માટે આ બ્રાહ્મમુહૂર્તનો સમય સર્વશ્રેષ્ઠ સમય છે. જીવનમાં પ્રતિદિન મનુષ્ય જાગતાંની સાથે જ દિવસ દરમ્યાન વિશાળ સૃષ્ટિની ઝાંખી કરતો રહે છે. અને સૂઇ ગયા પછી રાત્રી દરમ્યાન પ્રલયકાળની ઝાંખી કરે છે. જેમ પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ ચેતનાથી રહિત થઇને પ્રલયકાળપી રાત્રીની શય્યામાં સુવે છે. અને કાળે કરીને ઇશ્વરની પ્રેરણાથી ફરીવાર ચેતનાથી યુક્ત થઇને સમગ્ર સૃષ્ટિ જાગૃત થાય છે. એ જ રીતે દૈનિક જીવનની અંદર મનુષ્ય દિવસ દરમ્યાન સમગ્ર સૃષ્ટિની ઝાંખી કરતો થકો દેહના પોષણને માટે અતિ પરિશ્રમ કરીને થાકી જાય છે. ત્યારે થાકેલો પ્રાણી થાક દૂર કરવા માટે ચેતનાથી રહિત થઇને રાત્રી પી શય્યામાં વિશ્રાન્તિ લે છે. અને પ્રાતઃકાળ થતાં ફરીવાર ઇશ્વરની પ્રેરણાથી જાગે છે. જાગેલો એ પ્રાણી રાત્રી દરમ્યાન ચેતનાથી રહિત હોય છે. કાંઇપણ શુદ્ધ બુદ્ધ હોતી નથી. તે સમયે પણ ઇશ્વર આપણી રક્ષા કરે છે. અને સુરક્ષિત રીતે પ્રાતઃકાળમાં આપણને જગાડે છે. આ ઇશ્વરનો જે ઉપકાર, તેને નહિ ભુલીને પ્રાતઃકાળમાં જાગતાંની સાથે જ ઇશ્વરનું સ્મરણ કરવું જોઇએ. સમયસર જાગી ગયા હોઇએ, તો બે ઘડી (પોણીકલાક) ભગવાનનું સ્મરણ કરવું, અને નામ કીર્તન કરવું, અને જાગવામાં જો થોડો વિલંબ થયો હોય, તો અવશ્ય એક ઘડી (૨૪ મિનિટ) ભગવાનનું સ્મરણ તથા નામકીર્તન કરવું જોઇએ.
અને નામસ્મરણ કર્યા પછી શૌચ જવું. અર્થાત્ દિશાએ જવું. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- મળમૂત્રનો ત્યાગ કરતી વખતે મૌન ધારણ કરવું, આ એક સનાતન માર્ગ છે. અને જો મૌન ધારણ ન કરે, અને વાતો કરે કે બીજી કોઇ ક્રિયા કરેતો શારીરિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. કારણ કે આ શરીરની અંદર પાંચ પ્રાણો છે. અર્થાત્ પાંચ વાયુઓ છે- પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તેમાં અપાન વાયુ દ્વારા મળમૂત્રની ક્રિયા થાય છે. અપાન વાયુ જ્યારે પોતાની ક્રિયામાં લાગેલો હોય છે ત્યારે, બીજા ચાર વાયુઓનો વ્યાપાર મંદ પડી જતો હોય છે. તેથી જ અપાન વાયુ પોતાનું પૂર્ણ કાર્ય કરી શકે છે. એટલા માટે મળમૂત્રના ત્યાગ સમયે મૌન અને શાંત રહીને અપાન વાયુને પોતાની ક્રિયા પૂર્ણ કરવામાં મદદપ થવું જોઇએ. અને મળમૂત્રનો ત્યાગ કરતી વખતે બોલવાનું ચાલુ રાખીએ અથવા કોઇ બીજી ક્રિયામાં લાગી જઇએ તો પ્રાણવાયુની શક્તિઓ વહેંચાઇ જાય છે. અને અપાન વાયુનું કાર્ય મંદ પડી જાય છે. તેથી મલાશયની કે મૂત્રાશયની સંપૂર્ણ શુદ્ધિ થઇ શકતી નથી. તેના કારણે જ શરીરના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. માટે શાંત રહીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઇએ. આ વિષયમાં ધર્મશાસ્ત્રનું વાક્ય પ્રમાણપ છે.- ''उच्चारे मैथुने चैव प्रस्रावे दन्तधावने । श्राद्धे भोजनकाले च षट्सु मौनं समाचरेत्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- મળ-મૂત્રનો ત્યાગ કરતી વખતે, મૈથુન કરતી સમયે, શરીરમાંથી જ્યારે ધિર નીકળી રહ્યું હોય ત્યારે, દાતણ કરતી વખતે, શ્રાદ્ધને વિષે અને ભોજન કરતી વખતે, આમ આ છ ક્રિયામાં હમેશાં મૌન ધારણ કરવું જોઇએ. અને તેમાં પણ મળ-મૂત્રના ત્યાગ સમયે અવશ્ય મૌન ધારણ કરવું જોઇએ, અને સ્થિર રહેવું જોઇએ. .
હવે શૌચવિધિ કેવી રીતે કરવો. અર્થાત્ દિશાએ જઇ આવ્યા પછી હસ્તાદિકની શુદ્ધિ કેવી રીતે કરવી, એ વિષયમાં મનુએ બતાવેલું છે- ''एका लिङ्गे गुदे तिस्रो दश वामकरे मृदः । उभयोः सप्तदातव्यास्तिस्रस्तिस्रस्तु पादयोः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- દિશાએ જઇ આવ્યા પછી શુદ્ધ માટી અને જળથી એકવાર લિંગને ધોવું. ત્રણવાર ગુદાને, ડાબાહસ્તને ૧૦ વાર, બન્ને હસ્તને ભેળા કરીને સાતવાર અને ચરણને ત્રણવાર ધોવા જોઇએ. અત્યારના સમયમાં તો કોઇ કાર્યમાં ઉતાવળને લીધે, અથવા તો શાસ્ત્રોના વચનમાં શ્રદ્ધા ન હોવાને કારણે આપણે લિંગને માટીથી શુદ્ધ કરી શકતા નથી. છતાં પણ હસ્ત, ચરણને તો બરાબર શુદ્ધ કરવા જોઇએ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- દિશાએ જઇ આવ્યા પછી હસ્ત અને ચરણની શુદ્ધિ માટે માટીનો ઉપયોગ કરવો, એ અત્યંત ગુણકારી અને સર્વોત્તમ છે. માટીની અંદર ખારાશનો ભાગ હોય છે. અને માટીની અંદર ચિકાશનો ભાગ બિલ્કુલ હોતો નથી. અર્થાત્ માટી કોરી હોય છે. તેથી સર્વપ્રકારના મળને દૂર કરવામાં માટી સમર્થ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ મળના ભાગને પણ દૂર કરવામાં સમર્થ હોવાને કારણે માટીને જે મહત્વ આપી શકાય, એવું મહત્વ બીજા કોઇપણ દ્રવ્યને આપી શકાય નહિ. પિત્તની પ્રધાનતાને કારણે મળમાં જે ચિકાશનો ભાગ રહેલો હોય છે. એ ચિકાશના ભાગને સાબુન જલદી દૂર કરી શકે નહિ. કારણ કે ખુદ સાબુનમાં પણ એક જાતનો ચિકાશ રહેલો હોય છે. તેથી ચિકાશ ચિકાશને દૂર કરી શકે નહિ. જ્યારે માટીમાં ચિકાશનો ભાગ હોતો નથી, માટી બિલકુલ કોરી હોય છે. તેથી મળના ચિકાશના ભાગને માટી જલ્દી શુદ્ધ કરી શકે છે. માટે શાસ્ત્રોમાં હસ્તાદિકની શુદ્ધિ માટે શુદ્ધ માટીને જ સર્વોત્તમ ગણાવી છે. તેથી માટીથી જ હસ્તાદિકની શુદ્ધિ કરવી એ શાસ્ત્રોનો અભિપ્રાય છે. અને પાવડર કે સાબુનથી હસ્તાદિકની અત્યારે જે શુદ્ધિ કરવામાં આવે છે, એ દેશકાળ છે. શાસ્ત્રોનો અભિપ્રાય નથી. છતાંપણ ધર્મનો નિર્ણય દેશકાળને અનુસારે જ કરવામાં આવે છે. માટે દેશકાળને અનુસારે જો માટી મળે નહિ, અથવા તો માટી મળતી હોય છતાંપણ માટીથી હાથ ધોઇ શકાય એવા બાથમ ન હોય, અને નિકાસની વ્યવસ્થા પણ માટીને અનુકુળ ન હોય, તેથી માટીથી જો હાથ ધોવા બેસીએ, તો તરત જ ગટર ભરાઇ જાય. આ બધા સંજોગોને કારણે માટીથી હસ્ત ધોઇ શકાય એવી પરિસ્થિતિ ન હોય, તો શુદ્ધ પાવડર કે શુદ્ધ સાબુનથી પણ બરાબર સાવચેતી રાખીને હસ્તાદિકની શુદ્ધિ કરી લેવી. કારણ કે શુદ્ધિ એ અગત્યની બાબત છે. કયા દ્રવ્યથી શુદ્ધિ કરવી એ અગત્યની બાબત નથી. કોઇ પણ દ્રવ્યથી હસ્તાદિકની શુદ્ધિ થવી જોઇએ, આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. ।।૪૯।।
અને વળી શૌચ કરી લીધા પછી એક જ સ્થાનકમાં બેસીને દાતણ કરવું. અર્થાત્ દાંતોને અને જીભને સાફ કરવી. દાતણ કરવું એ પણ આપણી દૈનિક ક્રિયાનું એક અંગ છે. પોતાના શરીરનું આરોગ્ય ઇચ્છતા એવાં કોઇ પણ મનુષ્ય હોય, તેમણે પ્રતિદિન અવશ્ય દાંત અને જીભને સાફ કરવી જોઇએ. આ શરીરની અંદર દાંતોનું વિશેષ મહત્વ છે. જે આહારથી શરીરનું પોષણ થાય છે, એવા આહારને ચાવીને સૂક્ષ્મ બનાવવો, એ દાંતનું કર્તવ્ય છે. અને મનુષ્યોને માટે આહારની આવશ્યક્તા જીવનના અંતિમ ક્ષણ સુધી રહે છે. તેથી દાંતોની આવશ્યક્તા પણ જીવનના અંતિમ ક્ષણ સુધી રહે છે. તેથી દાંતોને જો સાફ કરવામાં ન આવે, તો દાંતોની અંદર રોગ ઉત્પન્ન થાય છે. અને જલ્દી દાંતો પાડી નાખવા પડે છે. માટે પ્રતિદિન સાવધાની પૂર્વક દાંતોને સાફ કરવા જોઇએ.
હવે દાંતોને સાફ કેવી રીતે કરવા, કયા દ્રવ્યથી દાંતોને સાફ કરવા. એ બાબત સમજાવતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે. એક જ જગ્યાએ બેસીને દાતણ કરવું. ''न तिष्ठन्न व्रजन् कुर्यान् न स्वपन् दन्तधावनम्'' ।। इति ।। ઉભા ઉભા દાતણ કરવું નહિ. ચાલતાં ચાલતાં દાતણ કરવું નહિ, અને સૂતાં સૂતાં પણ દાતણ કરવું નહિ. અર્થાત્ એક જ જગ્યાએ બેસીને દાતણ કરવું અને દાતણ કરતી વખતે જળનો લોટો સાથે રાખવો, કે જેથી મધ્યે મધ્યે દાતણ ધોઇ શકાય કે કોગળા પણ કરી શકાય.
અને વળી બોલતાં બોલતાં દાતણ કરવું નહિ. કારણ કે દાતણ કરતી વખતે દાંતોમાંથી ઉતરતો જે મેલ બોલવાથી પેટમાં ઉતરી જાય છે. અને શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે. તેથી દાંતોને ઘસ્યા બાદ પણ તરત જ જળ વડે કોગળા કરી લેવા જોઇએ. અને ત્યાર પછી જીભ ઉપર રહેલી અશુદ્ધિ, તેને દૂર કરવી જોઇએ. અને જીભ ઉપર રહેલી અશુદ્ધિ દૂર કર્યા પછી પણ તરત જ કોગળા કરી લેવા જોઇએ. જેથી જીભની અશુદ્ધિ પણ ઉદરમાં પ્રવેશ કરે નહિ.
હવે દાંત સાફ કરવા માટે કાષ્ટ કયા વૃક્ષનું લેવું. અર્થાત્ દાતણ કયા વૃક્ષનું લેવું એ વિષયમાં સમજાવતાં શતાનંદ સ્વામી કહે છે કે- જે વૃક્ષમાં કાંટા રહેલા હોય, અને જે વૃક્ષમાંથી ધોળો દૂધનો ભાગ નીકળતો હોય, અર્થાત્ છીર નીકળતું હોય, એવા વૃક્ષનું દાતણ દાંત સાફ કરવા માટે શ્રેષ્ઠ અને આરોગ્યકારક છે. તેમાં પણ લીંબડાના વૃક્ષનું દાતણ દાંતોને સાફ કરે છે અને મુખની દુર્ગંધી પણ દૂર કરે છે. અને બીજા પણ રોગોને દૂર કરે છે. આ રીતે પૂર્વના ઋષિમુનિઓએ વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવાનું વિધાન દાંતોની સફાઇની સાથે અનેક રોગોને દૂર કરવા માટે કરેલું છે. જેમ કે આયુર્વૈદિકશાસ્ત્રમાં બતાવેલું છે કે- ''बदर्यां मधुरः स्वरः'' ।। इति ।। બોરડીના વૃક્ષનું દાતણ કરવાથી દાંતોની સફાઇ થાય છે. અને સાથો સાથ કંઠનો સ્વર પણ મધુર બને છે. આ રીતે વૃક્ષોની અંદર અનેક પ્રકારના ગુણો રહેલા છે. તેથી ઋષિમુનિઓએ વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવાનું વિધાન કર્યું છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવા એજ શાસ્ત્રોનો અભિપ્રાય છે. એજ ઋષિમુનિઓનો અભિપ્રાય છે. અને કોલગેટ આદિક ટૂથપેસ્ટથી જે દાંત સાફ કરવા એ દેશકાળ છે. પણ શાસ્ત્રોનો અભિપ્રાય નથી. અને ધર્મનો નિર્ણય પણ દેશકાળને અનુસારે કરવામાં આવે છે. તેથી દેશકાળને અનુસારે જો કાષ્ઠનું દાતણ પ્રાપ્ત ન થઇ શકે, તો કોઇપણ શુદ્ધ દ્રવ્યથી દાંત સાફ કરવા જોઇએ. દાંત સાફ થવા એજ અગત્યની બાબત છે. પણ કયા દ્રવ્યથી દાંત સાફ કરવા એ અગત્યની બાબત નથી. માટે કોઇપણ પવિત્ર અને શુદ્ધ દ્રવ્યથી દાંત સાફ કરવા જોઇએ. પણ અપવિત્ર દ્રવ્યથી દાંત સાફ કરવા, એ યોગ્ય નથી, આવો અભિપ્રાય છે.
હવે દાતણ કર્યા પછી શું કરવું ? તો કહે છે કે- દાતણ કર્યા પછી પવિત્ર જળ વડે સ્નાન કરવું. સનાતન ધર્મની અંદર સર્વે કર્તવ્યોમાં સ્નાન એક અનિવાર્ય અને આવશ્યક કર્તવ્ય છે. સંધ્યાવન્દનાદિક સામાન્ય કર્મોથી માંડીને મહાન અશ્વમેધ યજ્ઞા પર્યંતનાં સર્વે કર્મોનો પ્રારંભ સ્નાનથી જ થાય છે. આ દૈનિક કર્મની અંદર સ્નાન એ સંધ્યાવંદન પૂજાદિકનું અંગ છે. સ્નાન કર્યા વિના સંધ્યાવંદન-પૂજા આદિકમાં અધિકાર પ્રાપ્ત થતો નથી.
અને વળી આરોગ્યતાની દૃષ્ટિએ પણ સ્નાનનું ઘણું બધું મહત્વ છે. આપણા શરીરની ચાંમડીમાં અસંખ્ય નાનાં છિદ્રો રહેલાં છે. એ છિદ્રોમાંથી શરીરની અંદરનો મળ પરસેવા દ્વારા બહાર નીકળ્યા જ કરે છે. અને પરસેવાનો જે ભાગ હોય છે, એતો વાયુદ્વારા સુકાઇ જાય છે. અર્થાત્ બાષ્પ બનીને ઉડી જાય છે. જ્યારે બીજો શરીરનો મળ છિદ્રોમાં જામી જાય છે. જો એ મળને સ્નાન દ્વારા દરરોજ સાફ કરવામાં ન આવે, તો અમુક સમય બાદ છિદ્રો બિલકુલ બંધ થઇ જાય છે. જેથી શરીરની અંદરનો મળ અને દુષિત વાયુ બહાર નીકળી શકતો નથી. જેના પરિણામે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. માટે પ્રતિદિન સ્નાન કરીને ચામડીને બિલકુલ સ્વચ્છ કરી લેવી જોઇએ. આ રીતે આરોગ્યતાની દૃષ્ટિએ ચામડીના મળની સફાઇ એ સ્નાનનો પ્રાથમિક ઉદેશ્ય છે.
અને વળી ''आपो वै प्राणः'' ।। इति ।। આ શ્રુતિમાં કહ્યું છે કે, જળના કણોમાં પ્રાણશક્તિ છુપાયેલી છે. માટે સ્નાન કરવાથી પ્રાણોને તૃપ્તિ મળે છે. તેથી શરીરમાં સ્ફુર્તિ તથા ચૈતન્યનો ઉદય થાય છે. આળસ દૂર થાય છે. અને મન પ્રફુલ્લિત થાય છે. અને મન પ્રફુલ્લિત થવાથી સંધ્યાવંદન, પૂજા આદિક ધાર્મિક કાર્યોમાં પ્રસન્ન અને એકાગ્ર બને છે. આ રીતે ધાર્મિકતાની દૃષ્ટિએ સ્નાનનું ઘણું બધું મહત્વ કહેલું છે.
હવે સ્નાન કેવા જળથી કરવું ? આ વિષયમાં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી પદ્મપુરાણનું વાક્ય ઉદ્ધૃત કરે છે. ''नद्यां नदे वा सरसि तडागे वापीकूपयोः । स्ननं प्रशस्तमुदितमद्बिः शीताभिरन्वहम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- નદી, સરોવર, વાવ, કુવો, અથવા કોઇપણ વહેતાં પાણીમાં સ્નાન કરવું, એ સર્વોત્તમ ગણાય છે. કારણ કે શરીરના મળથી અને વાયુથી દૂષિત થયેલું પાણી, વહેતાં પાણીમાં જલ્દીથી વહી નીકળે છે. જેથી શુદ્ધ અને તાજું જળ શરીરને મળતું રહે છે. માટે જ્યાં સુધી સંભવ હોય, ત્યાં સુધી વહેતાં જળમાં સ્નાન કરવું જોઇએ. નદી, સરોવર આદિકનો સંભવ ન હોય, તો વાવ કે કુવામાંથી ઉદ્ધારેલા જળ વડે સ્નાન કરવું શ્રેષ્ઠ છે. એ પણ જો અનુકૂળ ન હોય તો ઘરમાં ભરી રાખેલું જે શુદ્ધ પાણી હોય, તેનાથી સ્નાન કરવું જોઇએ. તેમાં પણ જેનું શરીર સમર્થ હોય, તેમણે તો ઠંડા જળથી સ્નાન કરવું જોઇએ. સમર્થ હોય અને જો ગરમ જળથી સ્નાન કરે, તો એ સ્નાન વ્યર્થ કહેલું છે.- આ વિષયમાં પરાશરમુનિનું વાક્ય પ્રમાણપ છે. ''वृथा ह्युष्णोदकस्ननं वृथा जाप्यमवैदिकम्'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- અવૈદિક મંત્રોનો જપ કરવો, એ વૃથા છે. તેમ ગરમ જળથી સ્નાન કરવું એ પણ વ્યર્થ છે. માટે શરીર બરોબર હોય તો ગરમ જળથી સ્નાન કરવું નહિ. જેનું શરીર દુર્બળ હોય, તેને માટે ગરમ જળથી સ્નાન કરવું એ યોગ્ય છે. પણ સશક્તને માટે નહિ. માટે સશક્ત એવા પુષોએ ઠંડા જળથી સ્નાન કરવું જોઇએ.
હવે એ સ્નાન નદી કે સરોવરમાં કરવામાં આવે, અથવા ઘરમાં નળ ઉપર કરવામાં આવે, જ્યાં કરવામાં આવે ત્યાં સ્નાન કરતી વખતે શરીર ઉપર સાધારણ વસ્ત્ર હોવું જોઇએ. વસ્ત્ર વિના સ્નાન કરવું એ વણદેવનો અપરાધ ગણાય છે. અને સ્નાન કરતી વખતે મૌન રહેવું. અથવા તો ભગવાનનું નામ કે તીર્થોનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું. પણ વાતો કરતાં કરતાં ક્યારેય પણ સ્નાન કરવું નહિ. અને વળી પ્રાતઃકાળમાં સંક્ષેપથી સ્નાન કરી લેવું, પણ બહુ વિલંબ કરવો નહિ. જો વિસ્તારથી સ્નાન કરવું હોય તો મધ્યાહ્ને કરવું. પ્રાતઃકાળમાં જો વિલંબ કરે તો પૂજાનો સમય વ્યતીત થઇ જાય છે. અને પછી પૂજા ઉતાવળથી કરવી પડે છે. માટે પ્રાતઃકાળમાં જલ્દી જલ્દી સ્નાન કરી લેવું જોઇએ, આવો ભાવ છે.
હવે સ્નાન કરી લીધા પછી શું કરવું ? તો કહે છે કે- ધોયેલું અને પછી સૂકાવેલું પવિત્ર એક વસ્ત્ર પહેરવું અને બીજું એક વસ્ત્ર ઉપર ઓઢવું. આમ બે વસ્ત્રો અવશ્ય ધારણ કરવાં. એક વસ્ત્ર ધારણ કરનારને ધર્મશાસ્ત્રમાં નગ્ન કહ્યો છે. માટે બે વસ્ત્રો અવશ્ય ધારણ કરવાં. બીજા વસ્ત્રનો જો અભાવ હોય, તો બીજા વસ્ત્રના સ્થાને એક અધિક યપવિત ધારણ કરી લેવી, પણ એક વસ્ત્ર ધારણ કરીને જપાદિક ધાર્મિક કૃત્ય કરવું નહિ. કારણ કે એક વસ્ત્ર ધારણ કરીને ધાર્મિક કૃત્ય જો કરેલું હોય, તો તેનું ફળ અસુરો લઇ જાય છે. આ વિષયમાં સ્મૃતિ વાક્ય પ્રમાણપ છે. ''एकवासा जपेद्यस्तु यद् ददाति जुहोति च । तत्सर्वमसुरेन्द्राणां ब्रह्मा भागमकल्पयत्'' ।। इति ।। આ શ્લોકનું એ તાત્પર્ય છે કે- એક વસ્ત્ર ધારણ કરીને જે પુષ જપ, દાન અથવા હોમ વિગેરે ધાર્મિક કૃત્ય કરે છે, તો તેનું બધું ફળ બ્રહ્માએ અસુરોને કલ્પી આપેલું છે. તેથી તેનું ફળ પોતાને કાંઇપણ પ્રાપ્ત થતું નથી. માટે એક વસ્ત્ર ધારણ કરીને ધાર્મિક કૃત્ય કરવું નહિ. અને વળી એક વસ્ત્ર ધારણ કરીને ભોજન કરવાની પણ મનાઇ કરી છે. ''एकवस्त्रो न भुञ्जिात'' ।। इति ।। માટે ભોજન કરતી વખતે પણ બે વસ્ત્રો ધારણ કરવાં આવો ભાવ છે. ।।૫૦।।
હવે એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. ત્યાર પછી શું કરવું ? તો કહે છે કે- પવિત્ર પૃથ્વી ઉપર પાથરેલું અને શુદ્ધ એવા આસન ઉપર પૂર્વમુખે તથા ઉત્તરમુખે બેસીને પૂજાની શઆત કરવી. તેમાં પ્રથમ અંતઃકરણની શુદ્ધિને અર્થે પૂજાનું પ્રાથમિક અંગ જે આચમન તે કરવું. આચમન કરવું એ એક પૂજાનું જ અંગ છે. જેમ સ્નાન કરવાથી બાહ્ય શરીરની શુદ્ધિ થાય છે. તેમ ભગવાનના નામ મંત્રની સાથે ત્રણ વાર આચમન કરવાથી અંદરના સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થાય છે. અર્થાત્ અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ રીતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની શુદ્ધિ થયા પછી જ પૂજાદિક ધાર્મિક કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે મોટે ભાગે દરેક ધર્મકાર્યના પ્રારંભમાં ત્રણ વાર આચમન કરવું જોઇએ, આવું શાસ્ત્રીય વિધાન છે.
હવે અમુક આસનો ઉપર બેસીને જ દરેક ધાર્મિક કાર્યના અનુષ્ઠાનનું વિધાન શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યું છે. જેમ કે- ''सर्वान् कामानवाप्नोति मनुष्यः कम्बलासने । कृष्णाजिने भवेन्मुक्तिस्तपः व्याघ्रचर्मणि'' ।। इति ।। આ પદ્મપુરાણનો શ્લોક છે. આની અંદર જુદાં જુદાં આસનોનું વિધાન કરવામાં આવેલું છે. કામ્ય કર્મના અનુષ્ઠાનમાં કમ્બલના (ઉનના) આસનનું વિધાન કરવામાં આવ્યું છે. મોક્ષ સમ્બન્ધી કાર્યમાં કાળા મૃગચર્મના આસનનું વિધાન કરવામાં આવ્યું છે. તપની સિદ્ધિમાં વ્યાઘ્રચર્મનું આસન, જ્ઞાનની પ્રાપ્તિમાં દર્ભનું આસન, અને આરોગ્યની પ્રાપ્તિમાં પાંદડાંનું આસન. આ રીતે શાસ્ત્રોએ ધાર્મિક અનુષ્ઠાનમાં આસનને એક અનિવાર્ય અંગ માનેલું છે. અર્થાત્ આસન વિના ધાર્મિક અનુષ્ઠાન થઇ શકે નહિ. આસન વિના કેવળ ભુમિ ઉપર કોઇ પણ ધાર્મિક કાર્યની કે મંત્રની સિદ્ધિ થતી નથી. શાસ્ત્રોમાં આ રીતનું જે વિધાન છે, એ આસનની ધાર્મિકતાને સિદ્ધ કરે છે.
હવે ધાર્મિક કાર્યના અનુષ્ઠાનમાં કદાચ આસન રાખવામાં આવેલું ન હોય, તો શું દોષ છે ? અને આસનનું શું પ્રયોજન છે. તેને સમજાવતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ધાર્મિક કાર્યને કરનાર મનુષ્ય અને પૃથ્વી, આ બન્નેને મધ્યે કોઇપણ આસનનું આવરણ હોવું જોઇએ. કે જેથી ધાર્મિક કાર્ય કરતી વખતે પૃથ્વીની અંદર રહેલું જે ગુરુત્વાકર્ષણ મનુષ્યને પ્રભાવિત કરી શકે નહિ. પૃથ્વીની અંદર રહેલી ઉર્જા શક્તિ, માનવ શરીરની અંદર રહેલી ઉર્જાશક્તિને આકર્ષણ કરે છે. જેમ કે પૃથ્વી અને મનુષ્યની મધ્યે કાષ્ઠ, ચીની, રબર, આદિક વિદ્યુત શક્તિના અવરોધક પ કોઇપણ વસ્તુનું વ્યવધાન જો હોય, તો તારની અંદર રહેલા વિદ્યુતને પૃથ્વી આકર્ષણ કરી શક્તી નથી. અને એજ કારણથી મનુષ્યને વિદ્યુતનો કરંટ લાગતો નથી. પણ જો પૃથ્વી અને મનુષ્યની મધ્યે કાષ્ઠાદિકનું વ્યવધાન ન હોય, તો તારની અંદર રહેલા વિદ્યુતને પૃથ્વી આકર્ષણ કરી લે છે. તેથી એ વિદ્યુત મનુષ્યના શરીરદ્વારા પૃથ્વીમાં પ્રવેશે છે. જેથી મનુષ્યને વિદ્યુતનો કરંટ લાગે છે. અને એજ કારણથી જો હાથમાં રબરના મોજા ધારણ કરીને વિદ્યુતના તારને અડકવામાં આવે, તો શરીર અને તારની મધ્યે રબરનું વ્યવધાન હોવાથી, પૃથ્વી વિદ્યુતને આકર્ષણ કરી શક્તી નથી. જેથી મનુષ્યને વિદ્યુતનો કરંટ લાગતો નથી.
એજ રીતે પૃથ્વીની અંદર રહેલી ઉર્જાશક્તિ માનવ શરીરની અંદર રહેલી ઉર્જાશક્તિને ખેંચે છે. તેથી શાસ્ત્રમાં એવાં આસનોનું વિધાન કરવામાં આવ્યું છે કે, પૃથ્વીમાં રહેલી આકર્ષણ શક્તિનો પ્રતીકાર કરી શકે. આ હેતુથી શાસ્ત્રોમાં આસનોનું વિધાન કરવામાં આવ્યું છે. કે- જેથી પૃથ્વીમાં રહેલી આકર્ષણ શક્તિનો મનુષ્ય શરીરમાં પ્રભાવ પડવા દે નહિ. માટે ભક્તજનો હોય તેમણે પોતાને યોગ્ય એવા કોઇપણ પવિત્ર વસ્ત્રના આસન ઉપર પૂર્વમુખે તથા ઉત્તરમુખે બેસીને જ પૂજાનો વિધિ પ્રારંભ કરવો.
હવે ધાર્મિક કાર્યમાં પૂર્વદિશા અને ઉત્તરદિશાને જ વિશેષ મહત્વ આપેલું છે, એનું કારણ એ છે કે પૂર્વદિશાને દેવતાઓની દિશા કહેલી છે- ''देवानामेषा दिग् या प्राची पितृणामेषा दिग् या दक्षिणा'' ।। इति ।। આ અથર્વવેદની શ્રુતિ છે. આ શ્રુતિમાં પ્રતિપાદન કરેલું છે કે, પૂર્વની દિશા દેવતાઓની દિશા છે. અને દક્ષિણ દિશા પિતૃઓની દિશા છે. આ રીતે અથર્વવેદમાં પૂર્વની દિશાને દેવતાઓની દિશા માનેલી છે. માટે કોઇ પણ દેવસંબન્ધી કાર્ય પૂર્વદિશા તરફ મુખ રાખીને કરવું, એ શ્રેષ્ઠ છે. અને વળી પૂર્વ દિશા પ્રગતિની દિશા છે. અર્થાત્ ઉર્ધ્વગતિની દિશા છે. કારણ કે પૂર્વદિશામાં ઉદય પામેલો સૂર્ય મધ્યાહ્ન પર્યંત ઉર્ધ્વગતિને પામે છે. અને પશ્ચિમમાં જતાંની સાથે જ અધોગતિની શઆત થાય છે. આ રીતે પૂર્વ દિશાને ઉર્ધ્વગતિની અને વિકાસની દિશા કહેલી છે. માટે પૂર્વદિશા તરફ મુખ રાખીને કરવામાં આવેલું દેવસંબન્ધી કાર્ય વિકાસ અને પ્રગતિને પામે છે, તથા પ્રભાવશાળી બને છે. આવો ભાવ છે.
અને ઉત્તરદિશા આધ્યાત્મિક પ્રગતિનું સ્થાન છે. અને કર્મપ્રધાન એવા આ ભારતખંડમાં આધ્યાત્મિક પ્રગતિના સ્થાનપ જે હિમાલય, પણ ઉત્તર દિશામાં બિરાજમાન છે. અને એ હિમાલયમાં મનુષ્યને આધ્યાત્મિક પ્રગતિમાં મદદપ થવા માટે સિદ્ધ યોગીઓ રહે છે. તથા હિમાલયમાં ઋષિપે સાક્ષાત્ શ્રીનરનારાયણ ભગવાન બિરાજે છે. જે નર અને નારાયણ ઋષિ મનુષ્યોને આધ્યાત્મિક પ્રગતિમાં બળ આપવા માટે તપશ્ચર્યા કરે છે. માટે જ ઉત્તરમુખે બેસીને આધ્યાત્મિક કાર્ય કરવાથી આત્મામાં બળ પ્રાપ્ત થાય છે. જેથી એ કાર્ય પ્રગતિને પામે છે.
હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આચમનનો વિધિ સમજાવતાં કહે છે કે, જમણા હસ્તના અંગુઠાના અગ્રભાગને વાંકો વાળીને, મધ્યમા આંગળીના મધ્યના પર્વમાં સ્થાપન કરીને, માત્ર અડદનો દાણો ડુબે એટલું જ જળ હથેળીમાં ગ્રહણ કરીને, બન્ને હસ્તને બન્ને ગોઠણની મધ્યે રાખીને, અને જમણા હસ્તને ડાબા હસ્તનો સ્પર્શ કરાવવા પૂર્વક, અને કોઇપણ ભગવાનનાં ત્રણ નામો ઉચ્ચારણ પૂર્વક ત્રણ વાર જળને હથેળીના કાંડાના ભાગથી પી જવું. આ રીતે આચમન કરવાનો વિધિ કહેલો છે. આ રીતે આચમન કર્યા પછી જ પૂજાદિક ધાર્મિક કાર્યનો પ્રારંભ કરવો. ।।૫૧।।
હવે આચમન કરી લીધા પછી શું કરવું ? તો કહે છે કે- આચમન કરી લીધા પછી પુષો હોય તેમણે જ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને ત્યારપછી ફરીવાર આચમન કરવું.
અને વળી ઉર્ધ્વપુંડ્ર તિલકનો વિધિ દીક્ષાવિધિમાં પ્રતિપાદન કરેલો છે કે- ''उर्ध्वपुण्ड्राणि च गृहस्थैः साधुभिश्च ललाटे हृदिबाहोश्चेतिवासुदेवसंकर्षणप्रद्युम्नानिरुद्धनाममन्त्रै र्धार्याणि'' ।। इति ।। ગૃહસ્થો હોય કે સાધુપુષો હોય તેમણે લલાટમાં ''ઁ वासुदेवाय नमः'' આ મંત્ર બોલીને ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને ''ઁ संकर्षणाय नमः'' આ મંત્ર બોલીને હૃદયમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને ''ઁ प्रद्युम्नाय नमः'' આ મંત્ર બોલીને જમણા હાથમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અને ''ઁ अनिरुद्धाय नमः'' આ મંત્ર બોલીને ડાબા હાથમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. આ રીતે દીક્ષાવિધિમાં નિપણ કર્યું છે. નૈષ્ઠિકબ્રહ્મચારી અને વાનપ્રસ્થ હોય તેમણે કંઠમાં એક તિલક અધિક કરવું. વિષ્ણુ ગાયત્રીના પાંચ મંત્રો બોલીને, અથવા કોઇપણ ભગવાનનાં પાંચ નામો બોલીને લલાટ, કંઠ, હૃદય, અને બન્ને બાહુનાં મૂળ, આ રીતે પાંચ સ્થાનકોમાં ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવાં.
''श्यामं शान्तिकरं प्रोक्तं रक्तं वश्यकरं भवेत् । श्रीकरं पीतम् इत्याहु वैष्णवं श्वेतमुच्यते'' ।। इति ।। આ બ્રહ્માંડપુરાણનો શ્લોક છે. આ શ્લોકમાં કલરના ભેદથી ઉર્ધ્વપુંડ્ર તિલકના ફળમાં પણ ભેદ બતાવ્યો છે. શ્યામ તિલક શાંતિને આપનારૂં કહેલું છે. લાલ તિલક વશ કરનારૂં કહેલું છે. પીળું તિલક લક્ષ્મી આપનારૂં કહેલું છે. અને શ્વેત તિલક વૈષ્ણપણાને સૂચવનારૂં કહ્યું છે. આ રીતે ફળભેદ બતાવ્યા છે. માટે પોતાને જે યોગ્ય પક્ષ હોય, અને સંપ્રદાયમાં જે પ્રચલિત પક્ષ હોય, તેનો સ્વીકાર કરવો.
અને વળી એ ઉર્ધ્વપુંડ્ર તિલક સરળ અને સૌમ્ય હોવું જોઇએ. અને નાસિકાના મૂળથી અર્થાત્ ભ્રકુટીથી આરંભીને કેશપર્યન્ત ધારણ કરવું જોઇએ, અને વચમાં ચાંદલો સમાય એટલો સોંસરો અવકાશ છોડી દેવો જોઇએ. અને તિલક અરીસામાં જોઇને જ, જે રીતે શોભાયમાન બને એ રીતે કરવું જોઇએ.
અને વળી પદ્મોત્તરખંડને વિષે તિલકના વિષયમાં બે પક્ષ કહ્યા છે- ''महाभागवतः शुद्धः पुण्ड्रं हरिपदाकृति । दण्डाकारं तु वा देवि धारयेदुर्ध्वपुण्ड्रकम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, ભગવાનના જે ભક્તો હોય, તેમણે હરિપદાકૃતિ નામનું ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. ઉપરના ભાગમાં જરાક પહોળું હોય તેને હરિપદાકૃતિ કહેવાય છે. આ હરિપદાકૃતિ નામનું તિલક ધારણ કરી શકાય છે. અથવા તો દંડાકાર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. અર્થાત્ ઉપર અને નીચે સમાન હોય, તેને દંડાકાર કહેવાય છે. આ રીતે તિલકમાં બે પક્ષો કહ્યા છે. જો કે બન્ને યોગ્ય જ છે, છતાં સંપ્રદાયને વિષે પરંપરામાં જે પક્ષ ચાલ્યો આવતો હોય, એ પક્ષ ઉત્તમ ગણાય છે, આવો ભાવ છે.
दण्डाकारं ललाटे स्यात् पद्माकारं तु वक्षसि । वेणुपत्रनिभं बाह्वोरन्यद् दीपाकृतिस्मृतम् ।। इति ।। અને વળી લલાટમાં દંડાકાર, વક્ષઃસ્થળમાં કમળની સમાન આકારવાળું, અને બન્ને બાહુમાં વેણુપત્રની સમાન આકારવાળું અથવા દીવાના જ્યોતની સમાન આકારવાળું તિલક કરવું. આ રીતે પદ્મોત્તરખંડમાં વિધાન કર્યું છે. આ પ્રમાણે શાસ્ત્રોના જુદા જુદા મતો બતાવ્યા છે. પણ શતાનંદ સ્વામીનો એવો અભિપ્રાય છે કે- સંપ્રદાયમાં જે તિલક પ્રચલિત હોય, એજ કરવું. પણ ભિન્ન ભિન્ન તિલકો કરવાં નહિ.
અને વળી આચમન કરી લીધા પછી જેમ પુષોએ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. તેમ સુવાસિની બાઇઓએ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું નહિ. પણ સુવાસિની બાઇઓએ લલાટમાં કેવળ કુંકુમનો ચાંદલો કરવો. ''ललाटे कुङ्कुमं नासाभूषणं करकङ्कणम् । कण्ठसूत्रं च सधवा दूरयेन्न कदाचन'' ।। इति ।। ભૃગુઋષિએ કહેલું છે કે- સુવાસિની બાઇઓએ લલાટમાં કુંકુમ, નાસિકાનું આભૂષણ, હસ્તનું કંકણ અને કંઠસૂત્ર આ ચાર વાનાંનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ. અર્થાત્ આ ચાર વાનાં અખંડ ધારણ કરી રાખવાં, આ રીતે વિધાન કર્યું છે. માટે સુવાસિની બાઇઓએ લલાટમાં કેવળ કુંકુમનો ચાંદલો જ કરવો, પણ ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું નહિ, આવો ભાવ છે. ।।૫૨।।
અને વળી આચમન કરી લીધા પછી સુવાસિની બાઇઓએ લલાટમાં જેમ ચાંદલો કરવો, તેમ વિધવા બાઇઓએ તો લલાટમાં ચાંદલો પણ કરવો નહિ. કારણ કે ઉર્ધ્વપુંડ્ર તિલક અને ચાંદલો જો કે સાંપ્રદાયિક ચિહ્ન છે, છતાં એ બન્નેની આભૂષણમાં ગણના થાય છે. તેથી વિધવા સ્ત્રીઓએ લલાટમાં એ બન્નેનું ધારણ કરવું નહિ. કારણ કે વિધવા સ્ત્રીઓને આભૂષણો ધારણ કરવાની મનાઇ છે- ''विधवा धारयेन्नैव सूक्ष्मवस्त्रमलङ्कतिम्'' ।। इति ।। આ ભૃગુઋષિનું વચન છે. આ વચનમાં કહેલું છે કે- વિધવા સ્ત્રીઓએ સૂક્ષ્મ વસ્ત્ર અને અલંકારો ધારણ કરવાં નહિ. આ રીતે વિધવા સ્ત્રીઓને અલંકારો ધારણ કરવાનો નિષેધ હોવાથી, તેમણે ચાંદલો પણ લલાટમાં કરવો નહિ.
અને ત્યાર બાદ સર્વે પુષ ભક્તજનો હોય કે સર્વે સ્ત્રી ભક્તજનો હોય, તેમણે માનસી પૂજા કરવી. માનસીપૂજાનો વિધિ બધાયને માટે સાધારણ કહેલો છે. પુષો હોય તેમણે ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યા પછી માનસી પૂજા કરવી. અને સુવાસિની બાઇઓ હોય તેમણે કુંકુમનો ચાંદલો કર્યા પછી ભગવાનની માનસી પૂજા કરવી. અને વિધવા બહેનો હોય તેમણે ચાંદલાનો અને ઉર્ધ્વપુંડ્ર તિલકનો નિષેધ હોવાથી આચમન કર્યા પછી તરત જ ભગવાનની માનસી પૂજા કરવી. આ રીતનો અહીં વિવેક સમજવો.
માનસીપૂજા એટલે જેવા પોતે ભગવાનને પ્રત્યક્ષ જોયેલા હોય, અથવા જેવા શાસ્ત્રથકી ભગવાનને સાંભળેલા હોય, એવા ભગવાનનું ધ્યાન કરી (મનમાં સ્મરણ કરી) મનથી કલ્પેલા માનસ ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું. માનસી પૂજા દિવસ દરમ્યાન પાંચ વખત કરવામાં આવે છે. પહેલી પ્રાતઃકાળની માનસીપૂજા. બીજી મધ્યાહ્નકાળની માનસીપૂજા. ત્રીજી ચાર વાગ્યાની એટલે ઉત્થાપનકાળની માનસીપૂજા. ચોથી સંધ્યાકાળની માનસીપૂજા. પાંચમી શયનકાળની માનસીપૂજા. આ રીતે પાંચ વખત માનસી પૂજા કરવી જોઇએ. જે પાંચ વખત માનસીપૂજા કરતા હોય, એ ઉત્તમ ભક્ત કહેવાય છે. અને જે ત્રણ વખત માનસીપૂજા કરતા હોય, એ મધ્યમ ભક્ત કહેવાય છે. અને જે એક વખત માનસીપૂજા કરતા હોય તે કનિષ્ઠ ભક્ત કહેવાય છે. અને જેને માનસીપૂજા સાથે લાગતું વળગતું જ ન હોય, એ ગુણભાવવાળો ભક્ત કહેવાય છે. અને જેમણે ભગવાનને ઓળખ્યા જ નથી, કેવળ સંસારમાં જ રચ્યો પચ્યો રહે છે, તેને અભક્ત કહેવાય. માટે ઉત્તમ ભક્તપણાની પદવી પ્રાપ્ત કરીને હમેશાં પાંચ વખત ભગવાનની માનસીપૂજા કરવી જોઇએ.
હવે માનસીપૂજા કેવી રીતે કરવી, એનો કોઇ નિશ્ચિત વિધિ નથી. સામાન્ય રીતે પોતાના શરીરની સાથે જેવો વ્યવહાર આપણે કરીએ, એવો વ્યવહાર ભગવાનની સાથે કરવો. અર્થાત્ શિયાળામાં આપણે આપણા શરીરને ગરમ જળથી સ્નાન કરાવતા હોઇએ, તો ભગવાનને પણ ગરમ જળથી સ્નાન કરાવવું. ઉનાળામાં આપણા શરીરને ઠંડુ જળ જો ગમતું હોય, તો ભગવાનને પણ ઠંડા જળથી સ્નાન કરાવવું. આ રીતે ઋતુને અનુસારે પોતાને જે વસ્તુ ગમતી હોય, એવી મનમાં કલ્પીને ભગવાનને અર્પણ કરવી.
હવે અહીં એવો વિવેક સમજવો કે- બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણે વર્ણને દ્વિજાતિ કહેવામાં આવે છે. અને આ ત્રણે વર્ણને દ્વિજાતિપણાને પમાડનાર યપવિત સંસ્કારનું પણ શાસ્ત્રોમાં વિધાન કરેલું હોવાથી, ત્રણે વર્ણવાળા પુષો હોય, તેમણે સંધ્યાવંદન કરવું જોઇએ. પણ મોટે ભાગે સંધ્યાવંદન બ્રાહ્મણ સિવાય, ક્ષત્રિય અને વૈશ્યને વિષે દેશકાળને અનુસારે લુપ્ત છે. છતાં શાસ્ત્રનો વિધિ છે, માટે અહીં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ત્રણે વર્ણવાળા પુષો હોય તેમણે ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યા પછી સંધ્યાવંદન કરવું. અને ત્યાર પછી માનસી પૂજા કરવી. આવો શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. ।।૫૩।।
હવે માનસી પૂજા કરી લીધા પછી શું કરવું ? તો કહે છે કે- બાહ્યપૂજા કરવી. બાહ્યપૂજામાં ગુએ પોતાને જે રાધાકૃષ્ણ ભગવાનની કે નરનારાયણ દેવની અથવા તો સાક્ષાત્ સહજાનંદ સ્વામીની પ્રતિમા આપેલી હોય, એ પ્રતિમાને સાષ્ટાંગ પ્રણામ કરવા. પ્રતિમા એ સાક્ષાત્ ઇશ્વરનું પ્રતીક છે. તેથી પ્રતિમાની ઉપાસના પ્રતીક ઉપાસના કહેવાય છે. પ્રતિમાની અંદર ધાતુભાવ કે પથ્થરભાવનો ત્યાગ કરીને જો પ્રણામ કરવામાં આવે, તો જ પ્રણામને ઇશ્વર સ્વીકારે છે. કાષ્ટમાં અગ્નિ રહ્યો છે, છતાં એ અગ્નિને જ્યાં સુધી દીવાસળી કે ઘર્ષણ કરીને પ્રગટ કરવામાં ન આવે, ત્યાં સુધી કાષ્ટમાં રહેલો અગ્નિ બીજાને બાળી શક્તો નથી. તેમ પ્રતિમામાં ધાતુભાવ કે પથ્થરભાવ ત્યાગ કરીને, હૃદયમાં જ્યાં સુધી આ મૂર્તિ તો પ્રત્યક્ષ પરમાત્મા જ છે. આ પ્રતિમામાં અને ધામમાં રહેલા ભગવાનમાં એક રોમનો પણ ભેદ નથી, આવો પ્રત્યક્ષભાવ પ્રગટ કરવામાં ન આવે, ત્યાં સુધી એ પ્રતિમા કોઇનો પણ મોક્ષ કરી શકતી નથી. જેમ એકલવ્ય નામના ભીલે દ્રોણાચાર્યની માટીની પ્રતિમા બનાવીને તેની અંદર પ્રત્યક્ષ ગુભાવ પ્રગટ કરેલો હતો, જે ગુભાવનાના પ્રતાપથી એકલવ્ય બાણવિદ્યામાં અર્જુનથી પણ અધિક નિપુણ થયો હતો. અર્થાત્ દ્રોણાચાર્યની અંદર રહેલી વિદ્યા માટીની પ્રતિમા દ્વારા એકલવ્યની અંદર પ્રવેશી હતી. એજ રીતે જો ધાતુની કે પથ્થરની પ્રતિમાની અંદર સાક્ષાત્ ઇશ્વરની ભાવના પ્રગટ કરવામાં આવે, તો જ ઇશ્વરની અંદર રહેલા ગુણો પ્રતિમાની ઉપાસના દ્વારા ઉપાસકની અંદર પ્રવેશે છે. માટે પ્રતિમાની અંદર દિવ્ય ભાવ લાવીને ભક્તોએ સાષ્ટાંગ પ્રણામ કરવા. સ્ત્રીઓ હોય તેમણે પંચાઙ્ગ પ્રણામ કરવા. દંડની પેઠે પૃથ્વી ઉપર પડીને અર્થાત્ સૂઇને જે પ્રણામ કરવા તેને સાષ્ટાઙ્ગ પ્રણામ કહેવાય છે. અને પૃથ્વી ઉપર બેસીને જે પ્રણામ કરવા તેને પંચાઙ્ગ પ્રણામ કહેવાય છે.
અને વળી ચિત્ર પ્રતિમાને સ્નાન કરાવવું, કે ચંદનની અર્ચા કરવી, એ અયોગ્ય છે. તેથી પૂજાના સમગ્ર ષોડશોપચારના સ્થાને કેવળ પ્રણામનું જ વિધાન કરેલું છે. ધાતુ આદિકની પ્રતિમા હોય, તો સ્નાન, ચંદનનું લેપન આદિક ષોડશોપચારોથી મંત્રપૂર્વક પૂજન કરી શકાય, પણ ચિત્રપ્રતિમાને સ્નાન કે ચંદનનું લેપન આદિક કરી શકાય નહિ. તેથી ચિત્રપ્રતિમાને કેવળ નમસ્કાર કરી લેવા, આવો ભાવ છે.
હવે ચિત્રપ્રતિમાને પ્રણામ કર્યા પછી શું કરવું ? તો કહે છે કે- પોતાની શક્તિ પ્રમાણે અને અવકાશને અનુસારે શ્રીકૃષ્ણનો આઠ અક્ષરવાળો શરણમંત્ર તેનો જપ કરવો. અને યથાશક્તિ સ્તોત્રનો પાઠ કરવો. આટલું કર્યા પછી પોતાના અધિકારને અનુસારે ઉદ્યમ કરવો, અને પોતાના નિર્વાહને ઉપયોગી દ્રવ્યનું સંપાદન કરવું. અર્થાત્ ખેતી, વ્યાપાર આદિક આજીવિકાથી પોતાના નિર્વાહને માટે ઉદ્યમ કરવો. આવો ભાવ છે. ।।૫૪।।